માતા-પિતાને ગુમાવ્યા , હવે બીજા ત્રણ ભાઈ-બહેનોના ભરણપોષણની જવાબદારી

- ઈમોશનલ સપોર્ટ સાથે આર્થિક સપોર્ટ ગુમાવ્યો : ઘરમાં મોટો છું હવે ટૂંક સમયમાં નોકરી શોધી ભાઈ બહેનોની જવાબદારી ઉપાડીશ 

સુરત : કોરોના સંક્રમણને કારણે સમગ્ર ગુજરાતમાં અનેક બાળકોનો આશરો છીનવાઈ ગયો છે. કેટલાક બાળકોએ માતા-પિતા બન્ને ગુમાવ્યા છે તો કેટલાકે માતા કે પિતા બે માંથી કોઈ એક ગુમાવ્યા છે. ત્યારે તેમના ભરણપોષણને લઈને અનેક પ્રશ્નો બાળકોને હેરાન કરી રહ્યા છે. 

સુરતમાં પણ એવા કિશોર-કિશોરીઓ છે જેમને તેમના ભરણપોષણની ચિંતા થઈ રહી છે. માતા-પિતાની છત્ર-છાયા ગુમવાવવાને કારણે તેમની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માટેના પણ અનેક સવાલો ઉભા થયા છે. ઈમોશનલ સપોર્ટ સાથે તેમણે આર્થિક સપોર્ટ પણ ગુમાવ્યો છે . જેને લઇને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવે તે સમજવામાં તમને સમય લાગી રહ્યો છે. આવા બાળકો માટે સરકારે અરજીઓ મંગાવી છે. સુરતમાંથી અત્યાર સુધી 32 જેટલી અરજીઓ આવી છે. 

આ વચ્ચે વેલંજા ખાતે રહેતા રજત રાદડીયાએ કહ્યું કે, દોઢ મહિના પહેલાં તમારા માતા-પિતા બંનેનું કોરોનાને કારણે અવસાન થયુ છે. હું ઘરમાં મોટો છું અને મારા સિવાય ત્રણ ભાઈ-બહેન છે. ટૂંક સમયમાં જ નોકરી શોધીને ઘરના ભરણપોષણની જવાબદારી ઉઠાવીશ. સરકારની સહાય માટે અરજી કરવાની બાકી છે જલ્દી જ કરીશું. હાલ બાઈસીકલ ગ્રુપ દ્વારા મને જૂની સાઈકલ રીપેર કરી આપવામાં આવી જે મદદરૂપ થઈ રહેશે. 

કાપોદ્રા ખાતે રહેતા નીતિન મકવાણાએ કહ્યું કે, હું બારમું ધોરણ ભણતો હતો અને ગત વર્ષે કોરોનામાં મારા પિતાનું મોત થયું હતું. હાલ વિધવા સહાય થી ઘર ચલાવવામાં મદદ મળી રહી છે. સરકારની જાહેરાત પ્રમાણે સહાય મેળવવા માટે અરજી કરીશું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qxPaDg
via IFTTT

Comments